વિશ્વ વન દિવસ (21 માર્ચ) વન છે તો જન છે |
વિશ્વ વન દિવસ
વિશ્વ વન દિવસ 21 March ના રોજ મનાવવામાં આવે છે. વિશ્વ વન દિવસ સૌપ્રથમ વાર વર્ષ 1971 માં મનાવવામાં આવ્યું હતું . બધા દેશ પોતાની માતૃભૂમિ અને વનસંપદાનું મહત્વ સમજે અને જંગલનું સંરક્ષણ કરે તે ઉદ્દેશ સાથે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1952માં " રાષ્ટ્રીય વન નીતિ " અનુસાર દેશના 33.3% ક્ષેત્ર પર જંગલ હોવા જોઈએ. કહેવાય છેકે વૃક્ષો આપના સૌથી સારા મિત્રો છે . જીવસૃષ્ટિને ઑક્સીજન પૂરું પાડવાથી લઈ વરસાદ લાવવા સુધીનું કર્તવ્ય પૂરું પાડે છે. ગાઢ વનરાજી માં રહેલા વૃક્ષોના એકએક પાનથી લઈ તેના સૂકા પાન પણ માનવજાતિ માટે ઉપયોગી છે, અને એટલેજ કોઈ કવિએ સાચું કહ્યું છે કે," તરુનો બહુ આભાર જગત પર ફૂલો આપે ફળ આપે સિતળ છાંયા સૌને આપે "આપના જીવનના આરંભ થી અંત સુધી જોડાયેલા વનોને આપણે જાણે ભૂલી ગયા છીએ સીમેંટ અને કોન્ક્રીટ ની ઈમારતોની આંધળી દોડમાં વન સૃષ્ટિ માટે હવે માનવજાત દુશ્મન બની રહ્યું છે. તંદુરસ્ત પર્યાવરણ માટે ધરતી પર 33.3% જંગલો હોવા જરૂરી છે. તેની સામે ભારતમાં હવે 13% જંગલોજ રહ્યા છે. જો આપણે નહીં જાગીએ તો આવતીકાલ નું બાળક વનને ચિત્રમાં જોઈ સકશે.
|
વિસ્તાર ચો.કિ.મી |
ભૌગોલિક વિસ્તાર(ટકાવારીમાં) |
ગાઢ વન (40% ગીચતા) |
4,16,809 |
12.68 |
પાંખા વન (10-40% ગીચતા) |
2,58,729 |
7.87 |
કુલ (મેનગ્રોવ વન સાથે ) |
6,75,538 |
20.55 |